આગામી ૧૪ ઓક્ટોબરના સૂર્ય ગ્રહણ પછી વિશ્વમાં અશાંતિ અરાજકતા, રોગચાળો, આતંકી ઘટનાઓ, ટેક્નોલોજી ગ્લિચ, હેરિટેજસાઈટ ડિમોલિસન,હાઈજેક, પૂર, ભૂકંપ, જેવી ઘટનાઓની હારમાળા સર્જાય તેવા યોગ છે. ગગનના ગોખલે ઘૂમતા ગ્રહોની ચાલભેદભરમ વાળી છે.વાસ્તવમાં ગ્રહણ ના કારણે કોઈ ઘટના બને એમ નથી હોતું પણ ગ્રહણના કારણે આવી ઘટનાઓનો આગાજ થાયછે. આવો આ ગ્રહણની આડઅસરો કેવી હોઈ શકે છે તેના પર એક નજર નાખીએ ગ્રહણની અસર સમગ્ર વિશ્વ પર થતી હોય છે. ગ્રહણને વિશ્વમાં ઘટનારી મોટી ઘટનાની અલગ જ લક્ષણ તરીકે જોવામાં આવે છે. 14મીઓક્ટોબરના ગ્રહણ પછી વિશ્વમાં નકારાત્મક ઘટનાઓ વધશે તેવા એકથી વધુ સંકેત મળી રહ્યા છે. એમ કહેવાય છે કે ગ્રહણ આવતાંપહેલાં જ તેની અસરોની શરૂઆત થતી હોય છે. કેનેડા ભારત વચ્ચેનો ખાલિસ્તાની વિવાદ હોય કે ઈઝરાલ- પેલેસ્ટાઈનનો વિવાદ પણસૂર્ય ગ્રહણના મહિનામાં જ શરૂ થયો છે. શું આ કોઈ એક ખતરાની ઘંટડી છે? વિશ્વ કોઈ મોટો યુદ્ધના દરવાજે ટકોરા મારી રહ્યું છે? આ વખતે ગ્રહણ બુધની રાશી કન્યા રાશિમાં થઈ રહ્યું છે. બુધ સૂર્યની સાથે પોતાની જ રાશીમાં છે પણ અસ્ત નો હોવાથી વિકટીમ બનીશકે છે. આથી ગ્રહણ પછીના સમયમાં અફવાઓના કારણે ગેરસમજો ફેલાય. આવી ગેર સમજ ફેલાવવામાં સોશિયલ મિડીયા મોટોભાગ ભજવે. હેકર્સ દ્વારા પ્રથમ વિશ્વના દેશોની સાયબર સિસ્ટમ પર હુમલો થાય. જેના કારણે અરાજકતાની સ્થિતી સર્જાઈ શકે તેમ છે. શનિવારે થઈ રહેલા આ ગ્રહણમાં છત્રભંગ યોગ થાય છે જેના કારણે કોઈ નેતા પર હુમલો થાય. મૃત્યું થાય અને તેના કારણે પણદેખાવો, આંદોલનો અને બળવો થઈ શકે છે. તો વળી સૂર્ય ગ્રહણ ની સાથે સાથે કેતુ અને મંગળની યુતી વિકૃત યોગ સર્જી રહ્યો છે. આ યોગ તુલા રાશીમાં થઈ રહ્યો છે મંગળ સૈનિકછે તેને યુદ્ધ જ ગમે છે. જેથી હિંસા અને નફરત વધશે. ઝનૂની લોકો આતંકવાદીઓનું સૈદ્ધાંતિક સમર્થન કરે. પરંપરા, સંસ્કાર, વારસોનષ્ટ થાય અને માનવતા લાજી ઉઠે તેવી ઘટનાઓ તાદશ્ય બને. કેતુ અમર્યાદ નકારત્મકતા સર્જે અને મંગળ તેમાં બળતામાં ઘી હોમે તેવુંબને. હાલમાં મંગળ અને શનિ વચ્ચે નવમ પંચમ યોગ રચાય છે. આ એક વિષ્કંભ યોગ બને છે. જેના કારણે કાવતરાં રચાય, વિશ્વનાશક્તિશાળી દેશો વચ્ચે ડિપ્લોમેટ સંબંધો બગડે .મંગળ-કેતુ યુતીના કારણે ઓક્ટોબરના અંત સુધી આતંકી હુમલા, પેસેન્જર પ્લેનહાઈજેક થઈ શકે. દેશ અને દુનિયાના બજારોમાં મંદી આવે, શેરબજારનો ઈન્ડક્સ નીચેડી સપાટી જુવે, મોંઘવારી માઝા મુકે તેવીઘટનાઓ સર્જાવાની શક્યતા છે. તો બીજી તરફ ડહાપણનો ગ્રહ ગુરુ મેષ કાળપુરુષની રાશીમાં રાહુ સાથે ચાંડાળ યોગ કરી રહ્યો છે. લાલચ, સ્વાર્થ, ચાલબાજી, વચનઆપીને ફરી જવું, દગાબાજી, જેવા માનવીય નકારાત્મક ગુણો આ સમયમાં વધુ બળવાન બને. જુના મિત્ર દેશો દુશ્મન બની જાય, દુનિયાના દેશોમાં ભાગલા પડવાની સ્થિતિ સર્જાય. ઘણા દેશોમાં સિવિલ વોરનો ભય સર્જાય. ૧૮ ઓક્ટોબરથી ૧૭ નવેમ્બર સુધી સૂર્યનીચ રાશિ તુલામાં હશે. જેના કારણે શાસકો સરમુખત્યાર જેવું વર્તન કરવા લાગે, પ્રજા સાથેનો તેમનો સંબંધ તૂટી જાય. કેટલાક દેશોમાંઆંતરવિગ્રહના કારણે સત્તા પરિવર્તન થાય.